થરાદ નાં સિધોતરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ તાલુકાના સિધોતરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70મા જન્મદિવસ નિમિત્તે લોકો વિવિધ પ્રકારની ઉજવણી કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોય છે ત્યારે થરાદ તાલુકાના સીધોતરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ગામલોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

જેમાં ગામની શેરીઓ જાહેર રસ્તા ઉપર શાળા સહિત અનેક જગ્યાએ સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તલાટી ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર: પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા

Related posts

Leave a Comment